અને અક્ષરધામમાં કેમ સુખ છે ? જે જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજનો ધણી છે, એમ સુખ છે. ને કેટલાક મુકત તો નિર્વિકલ્‍પપણે જોડાઇ રહ્યા છે ને કેટલાક મુકત તો વાતો-મહિમા કહે છે ને સાંભળે છે, જેમ આંહીં છે તેમજ ત્‍યાં છે એમાં લગારે પણ ફેર નથી. ૩૦૬