પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહિ, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે ”એ યુદ્ધે કરીને તો હું જીતાઉ એવો નથી. મને જીતવાનો ઉપાય તો એ છે, જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી.” એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહ્લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઊપાય સર્વોપરી છે, તે શીખવો. ૩