અને કારિયાણીનું સાતમું વચનામૃત વંચાવીને વાત કરી : જે નિશ્વય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, ને નિશ્વય છે એ જ સિદ્ધ દશા છે, ને દેખવાનું કહ્યું છે, તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહે છે, ને તે વિના તો દેખાય છે તો પણ ન્યુન છે. ને વિષય ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું. ને ‘એક ભગવાન ભાસે’ એમ કહ્યું છે, તે પણ નિર્વિકલ્પ નિશ્વયરુપે ભાસે. ૩૦૯