આ જીવ સાધન તે શું કરશે ? એ તો જેમ કોશ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્‍યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્‍તિ તો કેવી છે ? જે આ પૃથ્‍વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય ને ચોર લઈ જાય તો પણ ખૂટે નહિ. કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્‍યાણ તે એવું છે. ને આ તો બહુજ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. ૫