ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના કયાંથી પમાય ? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. ૭