ઇન્‍દ્રિયારામ હોય તે દબાય પણ આત્‍મારામ હોય તે ન દબાય, કેમ જે ઇન્‍દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્‍મારામ હોય તે શા સારુ દબાય ? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહી. ૮