અને સાધુનો ને સાધુના સમાગમનો મહિમા બહુ કહ્યો, ને બોલ્‍યા જે હવે એથી આધી વાત નહિ ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પણ પાર ન આવે તેમ સંતના ગુણનો પણ પાર નહિ. એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્‍યું ને પોતે પણ બેળા બોલ્‍યા. ૩૧૧