આથી કરોડ ગણો સત્‍સંગ થાશે ને આથી કરોડ ગણાં મંદિર થાશે, પણ આ વાતું ને આ કથા નહિ મળે. ને વ્‍યવહાર પ્રધાન થઇ જાશે, માટે સહેજે સહેજે કરવું ને આ કારખાનાં તો બ્રહ્માંડ રહેશે ત્‍યાં સુધી ચાલશે, માટે કથાવાર્તા કરવા સાંભળવાનો અભ્‍યાસ રાખવો. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભકિત એ ચારે વાત રાખવી, પણ એક જ મુખ્‍ય ન કરવું. ૩૧