ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા : જે ત્યાગ વૈરાગ્યને શું કરવાં ? ગમે તેવો જીવ હશે પણ ભગવાનના ભકતમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. ને તે વિના તો ગમે તેટલી ભકિત કરે તો પણ શું ? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શુ ? માટે ભગવાનના ભકતમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. ને સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશુ ત્યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે, એવો સત્સંગ કરવો છે. ૩૨