આ વાતુમાંથી તો બ્રહ્મરુપ થવાશે, ને બાળ જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીયું તથા કચરો ને કંચન એ સર્વે સરખું થઇ જાશે, ને કાંઇ દીઠું નહિ ગમે એવું થાશે. ત્યારે કહેશો જે વાતું સાંભળીએ છીએ ને કેમ થવાતું નથી ? તે તો આજ આંબો વાવો ને કાલ કેરી કેમ થાય ? પણ એ જ આંબો દશ વર્ષનો થાય ત્યારે એમાંથી કેરીયું થાય છે. એમ થવાનું છે. ૩૩