અંત:કરણરુપ માયાનો કજીયો બહુ ભારે છે, કેમજે ભરતજીને કેવો વૈરાગ્ય ? ને કેટલું રાજ્ય મૂકયું ? તોપણ વિઘ્ન થયું. સૌભરિ ને પરાશર આદિક કેવા ? તેને પણ ધકકા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપ ને નિષેધ કરે, ત્યારે એ કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી. આખી ઉંમર ભગવાન ભેગો રહે તોપણ જ્ઞાન વિના કસર ટળે નહિ. ૩૮.