ભગવાનનું ધામ ગુણાતીત છે, ને જીવને ગુણાતીત કરવા છે, ને આપણે આ જ્ઞાન સાંભળ્‍યું છે તે બીજે કયાંઇ બનશે નહિ. આપણે બીજે ન રહેવાય, ને આ મળ્‍યા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણીકોર્યના કોઇ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે. ને આની આગળ બીજાનું ત્રાન તો ફટાકિયા જેવું છે, એ તો કહ્યું છે જે, ‘જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્‍યાના શ્‍યામ સુજાણ’ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. ૪૭