ગુરુનું અંગ બોલાવ્યું તેમાં પ્રશ્ન પૂછયું : જે આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે, પણ કાંઇ પુરુષપ્રયત્ન તો કહ્યું નથી તે કેમ સમજવું ? એ પ્રશ્ન પુછયું ત્યારે તેનો ઉત્તર કર્યો, જે સર્વે વાત ગુરુ જ આપે છે, ત્યારે આંહી અવાણું છે તે હમણાં એમ જ છે, જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઇ રહે, પછી કોઇક ટોકે તોપણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઇ જાય, માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. ૭૪