ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી, ત્યારે પ્રશ્ન પૂછયું : જે આવા મહિમાનો સાક્ષાત્કાર કેમ થાતો નથી ? તેનો ઉત્તર જે સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે, ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિને પામે એમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે એમ આવડે છે ને જેમ ઘટે એમ કરે છે. ને ઠામુકું આપે તો ગાંડા થઇ જવાય, માટે એ ભગવાન ઠીક કરે છે. ૭૫