આપણામાં ત્‍યાગી થઇ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઇ આવે છે, એ તો યોગ છે પણ સાંખ્‍ય નહિ. ને હેત તો આંગળી તૂટતું હોય, પણ સાંખ્‍ય નહિ, ને જેને સાંખ્‍ય હોય ને સાધુ થાવા આવે, તેને કહીએ : જે ઘરનાં માણસ સર્વે ઘરમાં સૂતાં હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ, તો સાંખ્‍યવાળાને કઠણ ન પડે, ને યોગવાળાથી એ થાય નહિ. ૮૭