પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહિ ત્‍યાં સુધી સત્‍સંગનું સુખ આવે નહિ, તે કેની પેઠે ? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્‍યારે નદીમાં નવું જુનૂં પાણી ભેળું થાય, તે પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્‍યારે સર્વે નવું  પાણી થાય, તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્‍સંગનું સુખ આવે છે. ૩૧૯