મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો: તેમાં વડતાલનું સોળમું વચનામૃત વંચાવીને બોલ્‍યાં જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શુ ? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભકતનો સંગ, એ બે જ રહસ્‍ય ને અભિપ્રાય છે. તે લઇને મંડે તો રાજી થાતાં કયાં વાર છે ? માટે રાજી કરવા હોય તેને મંડવું. ૧૧૨