અને મોટા છે તે કોઇને તો વધુ સુખ આપે છે ને કોઇકને થોડું સુખ આપે છે, તેનું કેમ સમજવું ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટા તો સમુદ્ર જેવા છે. તે સમુદ્રમાં પાણીની ખોટ નથી, તેમ કોઇને ઓછું સુખ આપતા નથી, પણ પાત્રને લઇને એમ જણાય છે. તે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે, એવું ગરીબનું ન રખાય, એ તો વ્યવહાર કહેવાય, જે પર્વતભાઇ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે. ૧૧૮