અને આજ દિન સુધી તો કારખાનાં કરાવ્‍યાં ને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહી, ને વળી કહ્યું : જે સર્વે નાં સુખ જોવાં ને સર્વેનાં રુપ જાણવાં, ને એક ભગવાન વિના બીજામાં માલ નહિ એવું જ્ઞાન શિખવું ને વળી કહે કે ગિરનાર જેવડો કામ, મેરુ જેવડું માન ને લોકાલોક જેવડી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવાં છે એવું જ્ઞાન આપવું છે. ૩૨૧