અને ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો. તે અમે બહુ રાજી થઇ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે ને આતે કાંઇ વાતું છે ! આ તો અક્ષરધામની વાતું છે, પણ સાંખ્ય વિના કસર રહી જાય ને સાંખ્યવાળાને તો આ લોક નરક જેવું લાગે છે, પણ કયાય માલ મનાય નહિ. ને આ કારખાનું તો ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહિ. ૧૨૮