અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહિ. ને આ દર્શન થાય છે એતો બહુ જન્‍મને પુણ્‍યે થાય છે, નીકર દર્શન થાય નહિ ને આતો જેમ છે એમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ, ને ગાંડું નથી થવાતું એ તો ભગવાનની ઇચ્‍છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્‍યારે તેનું મહાત્‍મ્‍ય ન જણાય, પણ ન વરસે ત્‍ચારે ખખર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુ:ખ થાય. ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુ:ખ થાય, ને આ યોગ નહિ થાય તેને તો પછી રોવું પડશે. ૧૪૫