આ કારખાનાં તો એક વર્ષનાં કરીએ તો બે વર્ષનાં ઊભાં થાય, ને બે વર્ષનું કરીએ તો ચાર વર્ષનું ઊભું થાય છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઇએ તો છાંયડે ચાલ્યા જાય ને તડકો જ ન લાગે, પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય, ને ભગવાન વિના તો આત્માજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, પણ એ કોઇ કલ્યાણકર્તા નથી. ૧૪૭