અને ત્રીશ લક્ષણે યુકત સાધુરુપ ભગવાન જાણવા, ને ઓગણચાળીશ -લક્ષણે યુકત રાજારુપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાતપણ અવશ્‍ય સમજવાની છે. ૧૪૮

ત્રીસ લક્ષણ : ૧. કૃપા,  ૨. અદ્રોહ,  ૩. ક્ષમા,  ૪. સત્‍ય,  ૫. અદ્વેષ,  ૬. સમાનતા,  ૭. ઉપકાર,  ૮. અકામ,  ૯. જીતેન્‍દ્રિયણું,  ૧૦. કોમળતા  ૧૧. નિર્મળતા,  ૧૨. અસંગ્રહ,  ૧૩. સદાચાર,  ૧૪. લધુઆહાર,  ૧૫. શાંતિ,  ૧૬. સદ્વિચાર,  ૧૭. ભગવાદાશ્રય,  ૧૮. સાવધાનતા,  ૧૯. નિર્વિકારતા,  ૨૦. ધૈર્ય,  ૨૧. ગાંભીર્ય,  ૨૨. દયા,  ૨૩. છ ઊર્મિ,  (ભૂખ, તરલ, શોક, મોહ, જરા અને મૃત્‍ય.) રહિતપણું,  ૨૪. નિમર્ાનતા,  ૨૫. વિવેક  ૨૬. ઉપદેશ શકિત  ૨૭.  જ્ઞાતાપણું  ૨૮. સુહૃદપણું,  ૨૯. શ્રદ્ધા,  ૩૦. ભગવત્‍પરાયણતા.                                                                                                                                                                                                     શ્રી. ભા. સ્‍કં, ૧૧ અ. ૧૧

ઓગણચાલીસ લક્ષણ : ૧.સત્‍ય,  ૨.શૌચ,  ૩.દયા,  ૪.ક્ષમા,  ૫.ત્‍યાગ,  ૬.સંતોષ,  ૭.નમ્રતા,  ૮.શમ,  ૯.દમ,  ૧૦.તપ,  ૧૧.સુખાદિમાં સમતા, ૧૨.સહનતા  ૧૩.ઉદાસીનતા,  ૧૪.શસ્ત્રાભ્‍યાસ,  ૧૫.જ્ઞાન,  ૧૬.વૈરાગ્‍ય,  ૧૭.ઐશ્વર્ય  ૧૮.શુરતા,  ૧૯.પ્રતાપ,  ૨૦.બલ,  ૨૧.સ્‍મૃતિ,  ૨૨.સ્‍વતંત્રતા,  ૨૩.કુશળતા,  ૨૪.કાન્‍તિ,  ૨૫.ધીરજ,  ૨૬.કોમળતા,  ૨૭.પ્રગલ્‍લભતા,  ૨૮.વિનય,  ૨૯.કુશળતા,  ૨૯.શીલ,  ૩૦.માનસિક શકિત,  ૩૧.જ્ઞાનેંદ્રિય શકિત, ૩૨.કર્મેન્દ્રિય શકિત  ૩૩.સર્વ ભોગ,  ૩૪.ગંભીરતા,  ૩૫.દ્ઢતા,  ૩૬.આસ્‍થા, ૩૭.કીર્તિ,  ૩૮.માન,  ૩૯.નિરાભિમાન

શ્રી ભા. સ્‍કં. ૧ અ. ૧૬.