કોઇક માણસનું કોઇકે જરાક રાખ્‍યું હોય તો તે પણ નથી ભૂલતો, તો ભગવાનને અર્થે આપણે કાંઇક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે ? એ ભગવાન તો કાંઇ ભુલે એવા નથી ને ભગવાનની દયા તો અપાર છે. સર્વે ઠેકાણે ત્‍યાંથી જ દયા આવી છે. ૧૭૬