અને સંત છે ત્‍યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્‍યાં અનંત ગુણ છે ને ભગવાન પણ ત્‍યાં જ છે. ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે: જે ‘તપ, ત્‍યાગ, યોગ, વ્રત, દાન એ આધિક સાધને કરીને ભગવાન કહે કે હું વશ થાતો નથી, જેવો શુદ્ધ અંત:કરણવાળા સાધુને સંગે કરીને થાઉ છું.’ અને જેને આ સત્‍સંગ મળ્‍યો છે તેના પુણ્‍યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો. પણ તેને સનકાદિક મળ્‍યા તેને પગે લાગ્‍યો ને કહે : જે ‘મારાથી તો કાંઇ થાય નહિ !’ ત્‍યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ નારણિયો પડાવીને પણ મોક્ષ કર્યો. ૧૮૨