ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્‍યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી પ્રધાનપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી વૈરાટપુરુષમાં આવ્‍યું, ત્‍યાંથી દેવતામાં આવ્‍યું ને ત્‍યાંથી આંહી મનુષ્યમાં આવ્‍યું છે, તે સુખમાં જાવ માત્ર સુખિયા છે. માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે. તેને સુખે સુખિયા થાવું. ૧૮૩