અને મહારાજ કહે કે : ‘અમને સંકલ્‍પ થાય છે જે સર્વે ને મુકતાનંદ સ્‍વામી જેવા કરી મૂકીએ, પછી સાચવવા ન પડે.’ કેમ જે મુકતાનંદ સ્‍વામીને તો જ્ઞાન. તે જ્ઞાને કરીને સર્વે ટાળી નાખે, ને મુકતાનંદ સ્‍વામીને તો શબ્‍દ આકાશનો ભાગ છે એમ કાપતાં આવડે, ને બીજાને તો એવું જ્ઞાન નહિ તે સારુ આ નિયમ કર્યા છે: જે જોવું નહિ, સાંભળવું નહિ, એ પ્રકારે નિયમ બાંઘ્‍યા છે. ૨૦૭