દિવ્‍યભાવ અને મનુષ્યભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે છે ત્‍યારે આનંદ થાય, ને રુએ ત્‍યારે મૂંઝવણ થાય, ને દિવ્‍યભાવ અને મનુષ્યભાવ એક સમજે છે તેને કયું સાધન કરવાનું બાકી છે ? કાંઇ પણ નથી. ૨૧પ