અને વણથળીમાં વાત કરી, જે આ વણથળી ગામ કોઇકને આપે તો તે ગાંડો થઇ જાય, ને વળી વડોદરું આપે તો વાત જ શી કહેવી ! ને આપણને તો કરોડ કરોડ વડોદરાં મળ્યાં છે, તે એમ પણ કહેવાય નહિ. હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા. ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે. ને દેહ પડશે કે ભગવાન પાસે જઇને બેસવું છે, તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડયું રહેશે એમ વાત કરી. ૨૧૬