આ સાધુ તો ભગવાનના હજુરના રહેનારા છે ને પળ માત્ર છેટે રહે એવા નથી, ને છેટે રહે છે તે કોઇ જીવના કલ્યાણને અર્થે રહે છે. ને આ સમે એક વાત થાય છે તેવી વાત બીજા જન્માંતરમાં પણ કરી શકે નહિ, ને તે કરતાં પણ આવડે નહિ, ને જન્મારો અભ્યાસ કરે, તો પણ એવી વાત શિખાય નહિ. એમ વાત કરી. ૨૨૦.