અને ભગવાનનું ને આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઇ કરવું રહ્યું નથી, તે તો આંહી છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે. માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા. ને આપણે સાધનને બળે મોટાઇ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઇ છે. ૨૨૧