અને આજ ભગવાન અક્ષરધામ સહિત આંહી પધાર્યા છે. તેના સ્વરુપનો પર ભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થાવું. પણ ઉદ્ધવજી જેવા ભકત થાવું. ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એ એનો દ્રોહ થાય છે ને આજ તો જેવી વાતો થાય છે ને સમજાય છે, તેવી કોઇ દિવસ સમજાણી નથી. ૨૨૨