એક ભકતે પ્રશ્ન પુછયું : જે ‘શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય, જે ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે ?’ તેનો ઉત્તર કર્યો: જે એ તો ભગવાનને સર્વકર્તા જાણે : જે ભગવાન વિના બીજા કોઇનું કર્યું થાતું નથી, એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે. ને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઇ જાય ને ધીરજ રહે નહિ. આ લોકમાં મહારાજને પણ વગર વાંકે દુ:ખ આવતાં, તે આ લોક જ એવો છે તેનું રુપ જાણી રાખવું. ૨૩૬