જેમ કુસંગી ને સત્‍સંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને નવ યોગેશ્વર હતા તેમાં એકે વાત કરી તે આઠ ઝાંખા પડી ગયા, પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા તેમ એ તો એવી વાત છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું નિરુપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્‍યા કરે. ૨૪૧