કેટલાકને ભગવાનનું ને સાધુના સંબંધનું સુખ આવતું હોય, તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો : જે એ તો સાધુતા શીખે તો આવે, ને તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછયું : જે કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે ? તેનો ઉત્તર જે એનો તો નિરધાર નહિ, કેમજે સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. ૨૪૩