સ્વામીએ વાત કરી જે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે, તે કર્યા વિના થાય જ નહિ. ત્યારે પૂછ્યું જે,‘માખીમાંથી કેમ સૂર્ય થાય ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આ સૂર્ય કોઇક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને તો ઇશ્વર કોટિમાં, પુરુષકોટિમાં, ને બ્રહ્મકોટિમાં ભળાય છે અને તે ઉપાસના અને મહિમા વતે તો પોતાને વિષે પરિપૂર્ણપણું અને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિષે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.’ તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત (ગઢડા મધ્ય-૬૭) વંચાવીને બોલ્યા જે,‘જેવા મહારાજને જાણે તવેો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે ? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઇ દિવસ નાશ થાય એવું નથી; તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાનળ અગ્નિએ કરીને, કે પ્રલયકાળના અગ્નિએ કરીને કે મહાતેજના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ, અક્ષરધામ ને તેના મુકત સનાતન છે, તેમ પુરુષોત્તમનું જ્ઞાન પણ સનાતન છે.’ એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૬૬।। સ્વામીએ કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘ભગવાનના સ્વરૂપનું નિરૂપણ  કરતાં કોઇને આવડ્યું નથી. કેમ જે, એ તો અતકર્ય  વાતો છે, તે કોઇના તર્કમાં આવે નહિ. અને પૂર્વે આચાર્ય થઇ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યુ છે, પણ જેવું મહારાજને કહેતાં આવડે છે તેવું તો કોઇને કહેતાં આવડતું જ નથી.’ એમ કહીને કહ્યું જે, ‘ફરી વાંચો.’ ત્યારે ફરી વાંચ્યું. પછી સ્વામી બોલ્યા જે, ‘સગુણ-નિર્ગુણપણું તો મહારાજે આ મૂર્તિનું ઐશ્વર્ય કહ્યું છે. અને એ બે સ્વરૂપનું ધરનારું મૂળ સ્વરૂપ તો આ પ્રત્યક્ષ બોલે છે તે જ છે. એમ કહીને બોલ્યા જે, દસ શાસ્ત્રી વડોદરાના, દસ શાસ્ત્રી સુરતના, દસ શાસ્ત્રી અમદાવાદના ને દસ શાસ્ત્રી કાશીના, એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નીસરે કે નહિ ?’ ત્યારે રૂપશકં રે કહ્યું જે, ના મહારાજ ! આવો પ્રસંગ શાસ્ત્રીથી નીસરે નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે,‘છે તો એમ જ, પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય. પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં તો મહારાજને આવડે કાં ગોપાળાનંદ સ્વામી જેવા સાધુને આવડે, પણ બીજા કોઇને કરતાં આવડે નહિ. અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં પણ અધિક છે. કેમ જે, શુકજી ધ્યાનમાંથી નીસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા.’ એટલી વાત કરી ત્યાં આરતીનો ડંકો થયો તે દર્શને પધાર્યા. ।।૬૭।।