અને વળી સ્વામીએ વાત કરી જે,‘ભગવાનના અવતારમાત્રમાં ચમત્કાર તો ચમકપાણ  જેવો છે. તેમાં કેટલાક મણ  જેવા છે; ને કેટલાક તો દસ મણ જેવા છે; ને કેટલાક તો સો મણ જેવા છે; ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે; ને દશ મણ ચમક હોય તે તો આખા શહેરનાં લોઢાને તાણે; ને સો મણ ચમક હોય તો આખા દેશના  લોઢાને તાણે; ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે, ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહિ તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય ? એમ વાત કરીને બોલ્યા જે, ‘પૂર્વના અવતારમાં જેવું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાણા છે ને આજ તો સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે; તેને જોઇને તો અનંત ધામના પતિ ને તે તે ધામના મુક્ત, તે પોતાની મૂર્તિને વિષે તણાઇ ગયા, જમે ચમકના પવર્ત ને દેખીને વહાણના ખીલા તણાઇ જાય છે તમે .’ ।।૪।।