વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજને જસે ગં ભાઇએ પ્રશ્ન પૂછ્યું જે,‘ભગવાનનું કર્યુ સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય ?’ ત્યારે મહારાજ બોલ્યા જે,”રક્ષા ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોત તો કાળ, કર્મ ને માયા એ કોઇને પ્રભુ ભજવા દે એવાં નથી. કેમ જે, મૂળ માયાને કોઇએ છેડી નહોતી, તેને આપણે છેડી છે; તે શું ? તો લાજું કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ; ને જો ભગવાન રક્ષા ન કરતા હોય, તો આ કરો પાડીને મારી નાખે ને કાં તો પૃથ્વી ફાડીને માંહીં ઘાલી દે એવી માયા ખીજી છે.” ત્યારે પૂછ્યું જે, ‘એવી કયાં સુધી રક્ષા કરશે ?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે,”હમણાં રક્ષા કરે છે ને પછી નહિ કરે એમ ન સમજવું.” એમ કહીને બોલ્યા જે,”પૂર્વ દેશમાંથી પુરુષ ચાલ્યો આવતો હતો, તેની આગળ લાખો તાડ આડા આવ્યા તેને જોઈને એક તાડને હડસેલો માર્યો તે લાખો તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેમને હડસેલો માર્યો છે, તે ઊભાં થઇને દુઃખ દેવાને સમર્થ નહિ થાય એમ તમારે જાણવું.” ।।૬।।