સ્વામીએ એમ વાત કરી જે, આગ લગી ચહુ ઓર અવિદ્યાકિ  અતિ ભારી; અધો ઊર્ધ્વ અરુ મધ્ય દિશોદિશ  ભૂજા  પસારી. વિષય ભોગવિલાસ, કર્મીકો કર્મ દઢાયો; કવિ ગુની પંડિત જાન તાહિ લે તહાં ડુબાયો. તેહી વાકજાળ ડારી વિકટ નરનારી આવૃત્ત કિયે; જન મુકુંદ મદમચ્છર લગ્યો યું માયા વશ કર લિયે. ત્યારે રૂપશકં રે કહ્યું જે, ‘મોરે તો હું અમે જાણતો જે, અવિદ્યા બીજે ઠેકાણે છે ને હવે તે અમે જણાણું જે, અવિદ્યા આંહીં જ રહી છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘અવિદ્યાનું સાસરું જ આંહીં છે; તે જયાં ત્યાં જઇને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે. અને અમારે ભગવાનનું ને અમારું રૂપ ઉઘાડું કરવું છે અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢના મંદિરનું તો સ્વામી નહિ હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની ૫ છે નહિ, ને પાટું નાખી નાખીને પગ તો ભાંગી જાશે; તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે; ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહિ જ થાય.’ ।।૩૯।।