સ્વામીએ એમ વાત કરી જે, ‘આજ તો પુરુષોત્તમ અક્ષરધામ ને મુક્તે સહિત પધાર્યા છે, તે ભેળા અનતં ધામોના ભગવાન તેના મુકતે સહિત અહીં પધાયાર્  છે.તે શા સારુ ? તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા આંહીં આવ્યા છે, નહિ તો આવો ભીડો  વેઠાય કેમ ? તે મહારાજે કહ્યું જે,”એ અવતારમાં ત્રણ-ત્રણ  ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને ભીડામાં લેવા છે.” એમ કહીને વળી બોલ્યા જે, ‘બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મૂકવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારુ છે ને એકાંતિકના જન્મ છે તે તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા સારુ આ પૃથ્વીને વિષે પધારે છે ને આ વાતો છે તે તો ગોપાળાનંદસ્વામી ને મુકતાનંદસ્વામી ને સ્વરૂપાનદં સ્વામી તેના અંગની છે.તે આ સાધારણ જીવમાં નાખી દીધી છે તે પથ્ય પડતી નથી ને ઊલટી થઇ જાય છે. જમે સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લીઔષધી રહે છે, ને એવો ન હોય તેના પેટમાં રહેતી નથી, તેમ અક્ષરધામનો મુકત હોય તેને આ વાત પથ્ય પડે છે ને બીજાને તો ઊલટી થઇ જાય છે, પણ પથ્ય પડતી નથી.’ ।।૪૧।।