વડતાલે એક બાવે આવીને કહ્યું જે, ‘હે મહારાજ ! તમે તો બહુ ભૂંડું કર્યુ !’ ત્યારે મહારાજે કહ્યું જે,‘શું ભૂંડું કર્યુ ?’ ત્યારે તે બોલ્યો જે,‘બાઇ-ભાઇની સભા કોઇએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યુ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હું અનિર્દેશથી આવ્યો છું, કહેતાં હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું, તે મારી સૂગ ચડી ગઇ છે, નીકર તો કાંઇ નોખાં રહે એવા નથી.’ તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોંખા રહેવાય છે, નીકર તો ભેગાં થઇ જાશે. વળી કોઇકે પૂછ્યું જે, ‘પુરુષનું મન કયાં રહેતું હશે ?’ પછી મહારાજ બોલ્યા જે, ‘આજ જ અમે વિચાર કર્યો છે જે, પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે,’ એમ સર્વેના અંતર કહી દીધાં. ।।૪૭।।