સ્વામીએ વાત કરી જે, બીજે કયાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે. જેમ ગુજરાતનાં ઘોડાં છે તે લાંબા બહુ ને કાંઠાળા બહુ; પણ જયારે ધોરિયો દેખે ત્યારે અટકે છે, તે કાપી નાખે તોય ડગ દે નહિ ને સામું ખાસડું ઉગામ્યું હોય તો કયાંઇ ને કયાંઇ ભાગી જાય. ને અલૈયાખાચરના ઘોડાને ચડાઉ કરવાં હોય તેને બસેં છોકરા ગોટા વાળીને ઊભાં હોય તેમાં વચોવચ નાખીને ચડાઉ કર્યા હોય તે કયાંય અટકે નહિ. જેમ સામતપતંગ પાંચસે બખતરિયાં ઊભાં હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા. એવી રીતના જે હોય તે કયાંય અટકે નહિ. એ ઉપર છંદ બોલ્યા જે, તુરી વેગવંતા જરીસા જઠાણં, દિયંતા ઉડાણં જેહિ મૃગડાણં; સચે વાગરાગં નટા જયું નચેરી, દિન એક હોસે સબે ખાખ ઢરે ી. એવી રીતના જે હોય તે કયાંય અટકે નહિ. ।।૫૦।।