સ્વામીએ વાત કરી જે, ગમે તેવો પાણીનો તરિયો હોય તેને પણ ભમરી બુડાડી દે છે તે નીસરાય નહિ; ને વળી બીજું દષ્ટાંત જે, તીરે કરીને લવિંગ વીંધે તેવો આંટુકદાર હોય તે તીરને પણ વાયુ ફગાવી દે છે, તેમ ગમે તેવો સાંખ્યવાળો કે યોગવાળો હોય, તેને પણ સ્ત્રીરૂ૫ પાણીની ભમરી તે તો બુડાડી દે છે, તે નીસરાય નહિ; તેમજ ગમે તેવો અંતરદષ્ટિવાળો હોય તેની વૃત્તિને પણ દેશકાળાદિક આઠ છે તે ફગાવી નાખે છે, પણ અંતરદષ્ટિ થાવા દે નહિ. તે ઉપર શ્લોક બોલ્યા જે, સંગ ન ઇંર્યાત્ પ્રમદાસુ જાતુ યોગસ્ય પારં પરમારુરુક્ષુઃ । મત્સેવયા પ્રતિલબ્ધાત્મલાભો વદન્તિ યા નીરયદ્વારમસ્ય ।। એવા એવા ઘણા શ્લોક બોલીને કહ્યું જે, કેની બુદ્ધિ – ભેદાતી નથી ? તો ત્યાં કહું છું જે :
કામાદિભિર્વિહીના યે સાત્વતાઃ ક્ષીણવાસનાઃ। તેષાં તુ બુદ્ધિભેદાય કવાપિ કાલો ન શકનુતે ।।
એ શ્લોક બોલીને કહ્યું જે, ‘જેણે સાત્ત્વિક સેવ્યા હોય ને જે કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઇ ગઇ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઇ જાય છે, તેમાં સંશય નથી.’ ।।૫૧।।