વિષય તો બાંધે એવા છે, પણ જયાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહિ. કેમ જે, કેવા વૈરાગ્યવાન ! તેને પણ બાંધ્યા ! તેના નામ ગોવિંદસ્વામી તથા પરમહંસાનંદસ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ, એ આદિક ઘણા ઘણાને બાંધ્યા. તેની વિકિત જે, ગોવિદં સ્વામીને કેવો વૈરાગ્ય ! તે સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ને રસ્તામાં એક રાજાની બાની દસ હજાર રૂપિયાનું સોનું લઇને બેઠલે . તે ગોવિંદસ્વામીનું રૂપ જોઇને કહે જે, “આ સોનું ને હું તમારી છું. ” ત્યારે સ્વામીને વિચાર થયો જે, ‘પ્રભુ ભજવા નીસરે છે તેને આડી સિદ્ધિઓ આવે છે, તે મારે સિદ્ધિ આવી.’ પછી તો પોતાનું લૂગડું મૂકીને કહ્યું જે, ‘બેસ… ખત્રે જઇ આવું. ’ એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન, તે પણ ગંગામાના દાળ, ભાત ને રોટલીઓમાં બંધાણા. તેને મહારાજે ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ગામ જ આવવા દીધું નહિ; ત્યારે હાથ જોડીને કહ્યું જે, ‘હે મહારાજ ! કમે કરવું છે ?’ ત્યારે મહારાજ બોલ્યા જે, “રીંગણાં ને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપરુ માં જઇ ભિક્ષા માગો. પછી કોઇ કહેશે જે, ‘ગોવિદં સ્વામી કાઇં જોશે ?’ ત્યારે કહેવું જે, ‘હાઉ !!’ અરે! ગોવિદં સ્વામી ગાંડા થયા ?’ ત્યારે કહેવું જે, હાઉ!” અમે કરીને સ્વભાવ મુકાવ્યા. પરમહંસાનંદસ્વામીએ તો ગાયોમાં  બે વર્ષ આસન  કયુર્ં તે પાછું સાધુમાં આસન થયું નહીં. ને ત્રણ વૃત્તિ તો પોતે સારસ્વત  ભણ્યા હતા ને ખોજાના ગુરુ કહેવાતા, તેને પણ એમ થયું. ને એક સાધુ મહાપ્રભુ નામે હતો તે ઝોળીમાં બંધાણો. તેને મહારાજે કહ્યું જે, ‘હવે નરનારાયણની ઝોળી રહેવા દિયો ને લક્ષ્મીનારાયણની ઝોળી માગો.’ પછી વરતાલ આવીને બે,ત્રણ દિવસ રહીને જાતો રહ્યો. એમ જીવ બંધાય છે. ।।૫૨।।