સંવત્ ૧૮૮૨ના મહાવદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, ને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

તે સભામાં શ્રીજીમહારાજ અંતર સામી દષ્‍ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમળને ઉધાડીને સર્વે સામું જોયું પછી એમ બોલ્‍યા જે, “અમારે એક ઘ્‍યાનના અંગની વાર્તા કરવી છે, તે વાર્તા મોક્ષધર્મને વિષે કહી છે, અને જે મોટામોટા એ ઘ્‍યાને કરીને સિદ્ધદશાને પામ્‍યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે, અનંત પ્રકારનાં ઘ્‍યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઇ ઘ્‍યાન થાય નહિ, જેમ કોઇ ચમત્‍કારી મંત્ર હોય અથવા ચમત્‍કારી ઔષધી હોય તેમાં સ્વાભાવિક જ ચમત્‍કાર રહ્યો છે, તેમ જે આ ઘ્‍યાન અમારે કહેવું છે તે ઘ્‍યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્‍કાર છે જે તત્‍કાળ સિદ્ધદશાને પામીજાય. હવે તે વાર્તા કરીએ છીએ, એ જે ઘ્‍યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ઘ્‍યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ઘ્‍યાન કરવું, એવી રીતે ઘ્‍યાન કરતાં કરતાં સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માંડે ત્‍યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે, ત્‍યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતર્દષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા. અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્‍મા તેને વિષે પરમાત્‍માનું ઘ્‍યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે, તે જેમ રેંટનો ફાળકો ફરે તેમ આકાશને વિષે ફરતું જણાય, પછી એવી રીતે ઘ્‍યાન કરતાં થકાં ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે ને તે રૂપને વિષે ચૌદે લોકની રચના છે તે દેખાઇ આવે છે. અને તે સ્‍વરૂપ અતિશે મોટું પણ નથી દેખાતું. જેમ વટપત્રશાયી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઇ ને પોઢયા હતા અને તે જ ભગવાનના ઉદરને વિષે માકર્ંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું. એવી રીતે ભગવાનનું ઘ્‍યાન કરતાં થકાં જેટલાં કાંઇ શાસ્ત્રમાં પદાર્થ કહ્યાં છે, તે સર્વે એની દષ્‍ટિમાં આવે છે ત્‍યારે એના જીવાત્‍માને વિષે જે કાંઇક નાસ્‍તિક ભાવ રહ્યો હોય તે મટી જાય છે. અને તેનો જીવ અતિ બળીયો થાય છે. અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્‍ય છે એવી એને દઢ પ્રતીતિ આવે છે, અને અણિમાદિક અષ્‍ટ સિદ્ધયો તે પણ એ ઘ્‍યાનના કરનારાને  આવીને હાજર થાય છે. અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્‍યાં લગી તેની દષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રકટે છે, પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઇ સિદ્ધિયોને ગ્રહણ કરતો નથી. કેવળ પરમેશ્વરનું જ ઘ્‍યાન કરે છે, ત્‍યારે એ ઘ્‍યાનનો કરનારો નારદ સનકાદિક શુકજીના સરખી સિદ્ધદશાને પામે છે. માટે અનંત પ્રકારનાં ઘ્‍યાન છે પણ તત્‍કાળ સિદ્ધદશાને પમાડે એવું તો એ જ ઘ્‍યાન છે.”

એટલી વાર્તા કરી રહ્યા ત્‍યારે મુકતાનંદસ્વામીએ પુછયું જે, એવું ઘ્‍યાન તે અષ્‍ટાંગયોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાયછે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પ્રાણાયામવાળાનો કાંઇ મેળ નથી, એ તો જો એવા ઘ્‍યાનનો અભ્‍યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ઘ્‍યાન સિદ્ધ થાય છે, પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિષે ચલાતું જ નથી. માટે એ ઘ્‍યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે એ ઘ્‍યાન તે થકી બીજો તત્‍કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી.” ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું ||૧||૨૨૧||