Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૧૧

રાગ:- ધન્યાસરી સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થીભક્તિશું વેર વસાવ્યુંજી ।।૧।। રાગ :- ઢાળ વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।।૨।। પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ । તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ।।૩।। વસુદેવ વળી દેવકીને, જાણ્યાં જગદીશનાં જરૂર । તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર ।।૪।। પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન । તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ।।૫।। પાંડવ ભક્ત પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ । તે પાપે રાજય ગયું વળી, થયું મોત રહ્યું નહિ સુખ ।।૬।। સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયા રોળ । સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।। તે હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય । પણ જેમ કેગરના કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ।।૮।। એમ ભક્તને ભય ઉપજાવતાં, નિર્ભય ન રહ્યા કોય । આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય ।।૯।। પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી ।  નિષ્કુલાનંદ નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ।।૧૦।। કડવું ।।૧૧।। read more
0 Views : 160

ભક્તિનિધિ કડવું:- ૧ર

રાગ:- ધન્યાસરી હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી । તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ।।૧।। રાગ :- ઢાળ લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ય ઉપાય । નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।।૨।। જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઇ તાપ । તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ ।।૩।। વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાંજ નાખીયે નીર । પછી બેસીયે પાસળે, શું શીત વીતે શરીર ।।૪।। વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે ભોજનમાં ભેળિયે ઝેર । તે કહો સુખ કેમ આપશે, જેણે કર્યું સુખદશું વેર ।।૫।। જે પટે ઘટ ઢાંકિયે, તે પટનો કરીયે ત્યાગ । પછી ઇ્યચ્છયે પ્રવીણતા, તે મૂરખ નર કહ્યા લાગ ।।૬।। જે ભૂમિમાં અન્ન ઉપજે, તે ભૂમિમાં વિષ વવાય । પછી અમરપણું ઇચ્છવું, તેતો અતિ અવળું કે’વાય ।।૭।। એમ અભાગી નરને, હરિભક્તિમાંહિ અભાવ । તે કેમ તરશે સિંધુતોયને, જે બેઠા પથરને નાવ ।।૮।। ડોબું ન ગમ્યું દુઝણું, ભલી લાગી આવિયા ભેડ્ય । તજી દઇ તાંદુલને, કરી કુકશ સારૂં વઢવેડ્ય ।।૯।। અલ્પમતિને અવળું સુજે, સવળું સૂજે નહિ લવ લેશ । નિષ્કુલાનંદ એવા નરને, આપિયે શિયો ઉપદેશ ।।૧૦।। કડવું ।।૧૨।। read more
0 Views : 150

ભક્તિનિધિ પદ:-૦૩

રાગ:- આશાવરી સંતો અણસમઝે એમ બને, તેતો સમઝુને સમઝવું મનેરે; સંતો૦ । ટેક ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને । અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।। શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને । અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વનેરે; સંતો૦ ।।૨।। કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને । જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરનેરે; સંતો૦ ।।૩।। એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઇ પ્રગટ્યે થર પાપને । નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપનેરે; સંતો૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 139

ભક્તિનિધિ કડવું:- ૧૩

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી । તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી ।।૧।। રાગ :- ઢાળ રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ । પછી ભક્તિ તેની ભાવશું, સમઝીને કરવી સુજાણ ।।૨।। જોઇ મરજી જગદીશની, શિશસાટે કરવું સાબિત । સુખ દુઃખ આવે તેમાં દેહને, પણ હારવી નહિ હીંમત ।।૩।। રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ । અવર ઉપાય અળગા કર્યા, રામજી રિઝવવા કાજ ।।૪।। એજ ધ્યાન એજ ધારણા, એજ જપ તપ ને તીરથ । એજ અષ્ટાંગ યોગ સાધન, જે અવ્યાં પ્રગટને અર્થ ।।૫।। નર નહિ એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રીરામ । ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ ।।૬।। નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન । સમો જોઇ જે સેવા કરે, તે સમાન નહિ સાધન ।।૭।। વણ સમાની જે ભગતિ, અતિ કુરાજી કરવા કાજ । માટે જન સમો જોઇને, રાજી કરવા શ્રીમહારાજ ।।૮।। જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઇ તૈયાર । તેમાં સમ વિષમે ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર ।।૯।। એવા ભક્તની ભગતિ, અતિ વા’લી વા’લાને મન । નિષ્કુલાનંદ નિશ્ચે કરી, ન હોય કોઇ એને વિઘન ।।૧૦।। કડવું ।।૧૩।। read more
0 Views : 139

ભક્તિનિધિ કડવું:- ૧૪

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દીયે કામ એજ એકલીજી । એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જેજે કે’વાય છે જેટલીજી ।।૧।। રાગ :- ઢાળ જેટલી ભક્તિ જન કરેછે, પરહરી પ્રભુ પ્રગટને । તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને ।।૨।। તેણે ફાળ ભરી ફળ જોઇને, કોઇને ન પૂછી વાત । એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાયછે લાત ।।૩।। જોને વાડવ વાસી વ્રજના, જોરે કરતા હતા જગન । પણ પ્રભુ પ્રગટને જમવા, અણુભાર ન આપ્યું અન્ન ।।૪।। જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી । એવી પરોક્ષભક્તની પ્રાપતિ, શ્રવણે લીધીછે સાંભળી ।।૫।। ધન્ય ધન્ય એની નારીને, જેણે જમાડયા જીવન પ્રાણને । પ્રગટ પ્રભુને પૂજતાં, તે પામી પરમ કલ્યાણને ।।૬।। માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે, તેવી નથી પરોક્ષની માંય । એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો  સદાય ।।૭।। માટે મુખોમુખની જે વારતા, તે સમ નહિ સંદેશા તણી । કાનની સૂણી સહુ કહેછે, નથી દીઠી નજરે આપણી ।।૮।। વાંચી કાગળ કોઇ કંથનો, જેમ નાર અપાર રાજી થઇ । પણ પ્રગટ સુખ પિયુતણું, અણુ જેટલું આવ્યું નઇ ।।૯।। માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપતિ, નથી નર અમરને નિરધાર । નિષ્કુલાનંદ કહે જુવો નિહાળી, ઉડું અંતર મોઝાર ।।૧૦।। કડવું ।।૧૪।। read more
0 Views : 156

ભક્તિનિધિ કડવું:- ૧પ

રાગ:- ધન્યાસરી પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી । પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી ।।૧।। રાગ :- ઢાળ નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી । તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ।।૨।। જેની સાથે જમ્યા રમ્યા જીવન, પુરૂષોત્તમ પ્રાણ આધાર । હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે એની હાર ।।૩।। જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર । સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર ।।૪।। એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ । કહ્યું પામત જન્મ પશુપાળનો, તો રે’ત નહિ કાંએ પોચ ।।૫।। એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો સત્કાર । બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર ।।૬।। અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ । તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ ।।૭।। વાલ્મિકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ । તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ વિશાળ ।।૮।। સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ મળી । ડાહ્યા સાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ।।૯।। એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઇ । નિષ્કુલાનંદનિશ્ચે વારતા, સૌને સમઝવી મનમાંઇ ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 157

ભક્તિનિધિ કડવું:- ૧૬

રાગ:- ધન્યાસરી ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી। એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ।।૧।। રાગ :- ઢાળ તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।। ધર્મ વિચારીનેધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર । પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર ।।૩।। તેમાં કુળ કુટુંબી સગા સંબન્ધી, સહુનો તેકર્યો સંહાર । ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર ।।૪।। એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઇકના પ્રાણ । તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ ।।૫।। એ સમે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત । શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી વાત ।।૬।। એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ । તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વે’મ ।।૭।। વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ । તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણાનહિ ।।૮।। માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર । તેમાં હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ।।૯।। નિઃસંશય ને નર ઉત્થાને, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનદ એ વારતા, મને માનજો છે મોટી અતિ ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 161

ભક્તિનિધિ પદ:-૦૪

રાગ:- આશાવરી સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામીરે; સંતો૦ । ટેક- મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે કામી । પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામીરે; સંતો૦ ।।૧।। જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી । તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામીરે; સંતો૦ ।।૨।। અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરજામી । તેને તજીને જે ભજે બીજાને, તેતો કે’વાયે લુણ હરામીરે; સંતો૦ ।।૩।। જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી,તેનાં પાપ જાયે વામી । નિષ્કુલાનંદ કે’ આનંદ ઉપજે, પૂરણ પુરૂષોત્તમ પામીરે; સંતો૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 155
Powered By Indic IME